જયારે જયારે લખવાનું મન થાય ત્યારે

*જ્યારે જ્યારે કંઈ લખવાનું મન થાય ત્યારે*

જ્યારે જ્યારે કંઈ લખવાનું મન થાય,
ત્યારે  ત્યારે  શબ્દો ગોતવા  મન જાય.

શબ્દમોતી  મળતાં મન હરખાય જાય,
તો  ક્યારેક મન મારૂ હતાશ પણ થાય.

મળે  શબ્દમોતી તો  કોઈ રચના થાય,
એ રચના થકી લાગણી લખાય જાય.

ક્યારેક કવિતા, ક્યારેક વાર્તા બની જાય,
તો ક્યારેક  ગઝલની  રચના  પણ થાય.

નવરા સમયનો ખૂબ સારો ઉપયોગ થાય,
યોગ્ય પ્રતિસાદ મળતાં મન ખુશ થઈ જાય.

જાગૃતિ કૈલા (મોરબી)